Submit your work, meet writers and drop the ads. Become a member
Jun 2019
મન

આં મન તો બધું જ જાણે, પણ કોઈ નું કહ્યું ન માને

પ્રીત રચે એ, પણ દુઃખ સહે બિચારું દિલ, જાણે અંજાને

ચંચળ છે એ બહુ, થઈ જાય એ બસ એક પળ માં પરાયું.

ઉડે અને ઉછળે એ, જાણે હોય વાદળ કે પછી વહેતો વાયુ.

પળ માં પરાયું થઈ, કરે એ બિચારા દિલ ને બહુ પરેશાન.

આંધીમાં એ દીપક પ્રગટાવવા જાય, બિચારા દિલ ને રાખી અંજાન.

પ્રીતમ ને જોઈ થઈ જાય એ સાઉ બાવરું, બચકાની કરે હરકત

પળ ભર માં એ જીવન ભર ની તકલીફ વોહરી લેય; આમાં નથી બે મત.

કરું શું હું આં ચંચળ મન નું; કોઈ તો બતાવો ઉપાય

કોઈ મને આપે સલાહ, કે સંજોગો માં આવા, સુખ શાંતિ કેવી રીતે સ્થપાય ?

Armin Dutia Motashaw
51
 
Please log in to view and add comments on poems