Submit your work, meet writers and drop the ads. Become a member
Jan 2019
સમાધાન

ભલે દૂર છે, પણ મારા વિચારો માં છે તું પાસે.

દર્શન ભલે ન થાય તારા, પણ નૈનો માં તો તુજ વસે.

ક્ષણ એવી નથી, જ્યારે યાદ તારી ન આવે;

તારી નાની નાની, મીઠી હરકતો મને બહુ ભાવે.

હું તારી ભલે ન હોઉં, પણ તું મુજ માં છે સમયો.

કદી ન સમજી શકાય કે તું મારો જ છે, નથી પરાયો.

કૃષ્ણ ક્યાં યશોદા નો હતો;  હતો એ તો પરાયો જાયો.

મીરાં અને રાધા માટે પણ એ હતો પોતાનો, છતાં પણ પરાયો.

આં છે તારા માટે વિધાતાએ રચેલું, વિધિ નું વિધાન.

કરવું રહ્યું તારે પણ, તારી કિસ્મત સાથે સમાધાન.

Armin Dutia Motashaw
50
 
Please log in to view and add comments on poems